Wednesday, August 25, 2010

આઘાત -પ્રત્યાઘાત.

આઘાત -પ્રત્યાઘાત.

" ઝાકળ  ઝીલ્યું  તેં  સીધુંજ,  નયનમાં  પ્રિયે?
  તરસી   મરશે   પ્રિત,  ઉર  ઉપવનમાં  પ્રિયે..!!


અર્થાતઃ-   આનંદના મીઠા ઝાકળ સમા આંસુથી,તારાં નયનને  છલકાવા દેવાને બદલે,  વિરહનાં ખારાં આંસુને, નયનમાં  તેં  સીધાંજ ઝીલ્યાં પ્રિયે? 

હવે...!!

તારા વિરહને કારણે, મારી અસીમ પ્રિત, દિલના  ઉપવનમાં, તડપતી રહેશે, નિશ્વાસ ભરતી રહેશે અને તારા સ્નેહ વગર, સદૈવ તરસતી રહેશે..!!


===========

આઘાત -પ્રત્યાઘાત.

" દોસ્ત, આટલા વર્ષોના સહવાસ પછી,  તને જેટલો જાણી શક્યો છું, તેના આધારે તને, મારી એટલીજ સલાહ છેકે,  તારી પાસે અપાર ધન, પ્રતિષ્ઠા, માન મરતબો અને નાનું પણ, પ્રેમાળ  ફૅમીલી છે. કમ સે કમ આ બધાનો ખ્યાલ કરીને, તારી જાતને આમ શરાબને  હવાલે  ન કરે તેમાંજ  સહુની  ભલાઈ  છે..!!"

હમણાંજ, શ્રી ગો.વ. ત્રિપાઠીની, મહાનવલકથા ` સરસ્વતીચંન્દ્ર`, ઉપરથી સફળ ટીવી સિરિયલના બનાવનાર, દિગ્દર્શક શ્રીમનોહરજી, કોણ જાણે ક્યા દુઃખને કારણે, અત્યારે, જાહેર માર્ગ પર, પોતાની કાર પાસે ઉભા રહીને, શરાબના ઉપરાછાપરી જામ, પાણીની માફક ગટગટાવી રહ્યા હતા.

શૉફરના એકજ ફૉનથી દોડી આવેલો, સરસ્વતીચંદ્રના પરમ વફાદાર મિત્ર ચંન્દ્રકાંત, જેટલોજ, મનોહરજીનો વફાદાર મિત્ર, પાર્શ્વ, તેમને  ઉદ્દેશીને, વધારે શરાબ પીને, પોતાની જિંદગી,બરબાદ ન  કરવા સલાહ આપી રહ્યો હતો.

જોકે, આ સાંભળીને, મનોહરજી, શરાબના સ્વાદ જેવુંજ, કડવું-તુરું મ્લાન હસ્યા..!! અને પછી જાહેર માર્ગ પર તમાશો લાગે તેટલા જોરથી, મનોહરજી બરાડ્યા,

" હં..અ..મ..!!  ફૅમીલી...!! કયા ફૅમીલીની વાત કરે છે..પાર્શ્વ..!!  આ માન મરતબો, ધન, પ્રતિષ્ઠાનું શું કરું..દોસ્ત?  જ્યાં હવે મારી જીવવાની ઈચ્છાજ મરી પરવારી છે..!! પાર્શ્વ, શું  તું નથી જાણતો, મારી સાથે કેટલો મોટો દગો થયો છે? હં..અ..મ..!!  ફૅમીલી., માય ફૂટ, મા..ય  ફૂ..ટ..!! બધા સ્વાર્થી છે,સ્વાર્થી..!!"

પાર્શ્વ અને શૉફરે, ભેગા મળી મહામહેનતે, મનોહરજીને, કારની પાછલી સીટ પર, બેસાડ્યા. અત્યંત નશામાં, અર્ધબેભાનાવસ્થામાં, મનોહરજી હજુ પણ બબડાટ કરતા હતા. શૉફરને, ગાડી પોતાના બંગલે, લઈ જવા સૂચના આપીને, મિત્રની ચિંતા મનમાં સંઘરીને, પાર્શ્વએ પોતાની કારને, મનોહરની કારની પાછળ હંકારી.

સંપૂર્ણ ભાન ગુમાવી ચૂકેલા, મનોહરજીને, સાચવીને ઉતારી, પાર્શ્વએ, પોતાના બંગલે, પોતાના બેડરૂમમાં, મનોહરજીને, સુવડાવ્યા, ત્યારે ઘડિયાળના કાંટા, રાત્રીના ત્રણ વાગ્યાનું એલાન કરી રહ્યા હતા.

મનોહરજી બાજુમાંજ સુતેલા, પાશ્વનું મન વિચારે ચઢી ગયું," પોતે, મનોહરજીના સંઘર્ષના દિવસોથીજ, મિત્ર હોવા ઉપરાંત, તેની સિરિયલ્સ અને ફીલ્મોનો પટકથા લેખક પણ હતો. ગુણવત્તાસભર, અર્થપૂર્ણ સિરિયલ્સ અને ફીલ્મોના, સુપ્રસિદ્ધ દિગ્દર્શક, પોતાનાજ જીવનનો અર્થ અને શ્વાસ ટકાવવાનો અર્ક, બંને એકસાથે જ ખોઈ દેશે..!! તેમ કોણે વિચાર્યું હતું? "

પુના ફીલ્મ ઈન્સ્ટીટ્યુટમાંથી, ડાયરેક્ટરની સ્નાતક પદવી મેળવીને, મનોરંજનની દુનિયામાં પગ જમાવવા, સંઘર્ષ  કરતા, મનોહરજીએ, તે સમયના અત્યંત સફળ કથા-પટકથા લેખક પાર્શ્વની મદદથી,  સફળતા મેળવી ચૂકેલી, સૌંદર્યમૂર્તિ, ફીલ્મી અભિનેત્રી કુમારી તમન્ના સાથે, ઘડિયાં, પ્રેમલગ્ન કર્યાં ત્યારે સહુથી વધારે ખુશ પાર્શ્વ થયો હતો.

તેમાંય જ્યારે લગ્નનું એક વર્ષ પુરું થતાં પહેલાંજ, જન્મથીજ, તેજસ્વી જણાતા દીકરા,  `અક્ષર`નો જન્મ થયો, ત્યારે લેખક હોવાના નાતે, આ તમન્નાએ કરેલા અતિશય  આગ્રહને માન આપી,  પાર્શ્વએ જ,  તેનું  નામ `અક્ષર` પાડ્યું હતું, જે બધાને ખૂબ ગમ્યું.

જોકે, લગ્નના બીજાજ  વર્ષે, જે ભૂલ ન કરવી જોઈએ, તે ભૂલ મનોહરજીએ કરી..!!

મનોહરજી, તમન્નાને, પોતાની ફીલ્મ  નિર્માણ  કંપનીના, નાણાં  વિભાગ સહિત, દરેક ડિપાર્ટમેન્ટની, એકમાત્ર  સર્વેસર્વા બનાવીને, પોતે, માત્ર પોતાના દિગ્દર્શનના કાર્યમાં ગળાડૂબ  થઈ  ગયા..!!

લગ્ન બાદના, લાં..બા, વીસ વર્ષના સમયગાળા દરમિયાન, ધન, યશ, માન, મોભો, જેમજેમ વધતાં ગયાં, તેમતેમ, પોતપોતાના કાર્યમાં અત્યંત વ્યસ્ત, પતિ-પત્ની મનોહરજી અને તમન્ના, એકમેકથી, ક્યારે દૂ..ર થઈ ગયાં, તેની પણ જાણ બંનેને ન રહી.

આવનાર ભાવિ અણસાર થોડોજ આપે છે?  માનવ ધારે છે શું અને થાય છે શું? આજથી  બરાબર છ માસ અગાઉ, મનોહરજીએ, પોતાના વહાલસોયા દીકરા અક્ષરને, પોતાનીજ  કંપની દ્વારા નિર્માણાધીન,  નવીજ ફીલ્મ, `મેરા પ્યાર-મેરા યાર`માં, પ્રથમવાર હીરો તરીકે  લૉન્ચ કર્યો હતો.

આ ફીલ્મમાં હીરોઈનના લીડ રૉલ માટે, દેશભરમાંથી આવેલી, સેંકડો રૂપસુંદરીઓના ઑડીશન્સ બાદ, એક રૂપવંતી ટીનએજ કન્યા `પ્રથમા` પર, મનોહરજીની નજર ઠરી હતી.

જોકે,હીરોઈનના રૉલ માટે, પ્રથમાએ આપેલા પહેલાજ ઈન્ટરવ્યુમાં, મનોહરજીને બતાવેલા, ફૉટો  આલ્બમને જોઈનેજ, મનોહરજી સમજી ગયા હતાકે, આ ટીનઍજ કન્યાની સાથે ફૉટામાં દેખાતી, ચાલીસી ની વયની લાગતી સ્ત્રી, તે બીજું કોઈ નહીં..!! પણ, પોતાની  સાથેજ, પુના ફીલ્મ ઈન્સ્ટીસ્ટ્યુટમાં, હિરોઈનના પાઠ શીખવા આવેલી અને બાદમાં મનોહરજીના પ્રેમમાં પડેલી, પ્રેમા શર્મા જ હતી.

કોઈ અકળ કારણસર, પ્રેમા અભ્યાસ પુરો થતાંજ, કેરિયર બનાવવાને બદલે, અચાનક   ક્યાં ગાયબ થઈ ગઈ..!! તેની કોઈને જાણ નહતી.

મનોહરજીએ પણ, ત્યારબાદ તરતજ, સફળતા મેળવવા, સફળ અભિનેત્રી, તમન્નાનો  સંપર્ક  થતાંજ, પ્રેમાનો વિચાર કરવાનું પણ છોડી દીધું.

જોકે, પ્રથમાની માતા પ્રેમા શર્મા, હવે હયાત નહતી. પોતાની ગેરહાજરીમાં, પ્રથમાને, કોઈપણ જરૂર પડે તો, સીધાજ દિગ્દર્શક મનોહરજીનો સંપર્ક  કરવા જણાવી, મનોહરજીને  સંબોધીને, સીલબંધ કવરમાં પાઠવેલો પત્ર, પ્રથમાના હાથમાં મૂકીને, બે વર્ષ પહેલાંજ, પ્રેમાએ, અકળ બીમારીથી પીડાઈને, જગતને અલવિદા કરી હતી. મૃત્યુ વેળાએ, પ્રથમા પાસે, પ્રેમાળ માતાએ બે વચન લીધાં,

એકતો પોતાના હિરોઈન બનવાના અધુરા  સ્વપ્નને, તે પૂર્ણ કરશે અને બીજું, આ બંને પત્ર, વાંચ્યા વગરજ, તાકીદે મનોહરજીને, મળીને પત્ર તેમને હવાલે કરશે. પ્રથમાએ બંને વચન નિષ્ઠાપૂર્વક પાળ્યાં.

પ્રેમાનો અંતિમ પત્ર વાંચીને, મનોહરજી, ભાવુક થઈ ગયા.હા, મનોહરજીના પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હતોકે, `પ્રથમા, મનોહરજી અને પ્રેમાની, યુવાનીની ભૂલનું જ પરિણામ છે..!!`

મનોહરજીના માર્ગમાં, કારકિર્દીના, સંઘર્ષના તબક્કામાં જ, પોતે અને પોતાનું અવતરનાર ભાવિ બાળક (પ્રથમા), બાધારૂપ ન બને, તે માટેજ, પ્રેમા અદ્રશ્ય થયાનો ઉલ્લેખ આવ્યો ત્યારે મનોહરજીએ, અત્યાર સુધી, પ્રથમાને,  પિતાના પ્રેમથી વંચિત રાખ્યાના ગુન્હાનું પ્રાયશ્ચિત કરતા હોય તેમ, પોતાનીજ દીકરી પ્રથમાને, કશુંજ કહ્યા વગર,  ટૉપની હીરોઈન તરીકે સ્થાપિત કરવાનો નિશ્ચય, તક્ષણ કરી લીધો.

જોકે,આખાય રહસ્યથી, અજાણ પ્રથમા તો એમજ સમજતી રહીકે," પોતાના અદ્વિતિય  રૂપ  અને  અભિનય પ્રતિભા અને  મમ્મીના, મનોહરજી સાથેના, પુના ફીલ્મ ઈન્સ્ટીટ્યુટના સહાધ્યાયી સબંઘને  કારણેજ, તેને આવી અમૂલ્ય તક મળી છે."

આ વાતને છ માસ વીતી ગયા છે. મનોહરજીએ,  `પ્રથમા` અને દીકરા `અક્ષર`ને એક સાથે એકજ ફીલ્મમાં, એકસાથે લોન્ચ કરીને,પ્રેમાને, પોતે અજાણતાંજ કરેલા, અન્યાયનું પ્રાયશ્ચિત કર્યું હતું, સાથેજ પોતાના દીકરાને પણ ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં, સફળ પદાર્પણ કરાવ્યું હતું.

આજે, પોતાની નવી ફીલ્મ, `મેરા પ્યાર-મેરા યાર` ના પ્રિમિયર શૉની પાર્ટીમાં, હજી તો,  બાર કલાક પહેલાંજ, મનોહરજી કેટલા આનંદીત હતા. જોકે, મનોહરજીનો આનંદ ઝાઝો ટક્યો નહીં.

ફીલ્મના પ્રિમિયર શૉની પાર્ટીના, સમાપન સમયેજ, મનોહરજીને, જાણે સરપ્રાઈઝ આપવા માંગતા હોય તેમ, જાહેરમાં મહેમાનોને સંબોધીને, તમન્નાએ,  પ્રથમા અને અક્ષર, એકમેકના પ્રેમમાં હોવાથી, ટૂંક  સમયમાંજ  લગ્નના બંધનમાં બંધાવાનો ઈરાદો ધરાવતા હોવાની જાહેરાત કરીને, ધડાકો કર્યો.

પ્રથમા અને અક્ષરે, પોતાના પ્રેમનું પ્રમાણ આપવા, ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં, એકમેકને, સગાઈની રીંગ પણ પહેરાવી દીધી.

આથમતી પ્રિમિયર પાર્ટીમાં જાણે, અચાનક, નવેસરથી જાન આવી ગઈ હોય તેમ,  લક્ઝુરિયસ હૉટલનો, આખોય  દરબારી હૉલ, તાળીઓના ગડગડાટથી  ગૂંજી ઉઠ્યો.

નવી ફીલ્મના પ્રિમિયર શૉની પાર્ટીમાં હાજર રહેલા, ફીલ્મી મૅગેઝિન અને મીડીયાના જર્નાલિસ્ટોને તો જાણે, આ સમાચારથી જેકપૉટ લાગ્યો હોય તેમ, ધડાધડ તસ્વીર ખેંચવા, અભિનંદન આપવા અને  આ હૉટ ન્યુઝને, મીઠુંમરચું ભભરાવી, સહુથી પહેલાં, ગરમાગરમ પિરસવા, પ્રથમા અને  અક્ષર પર, સહુએ  સવાલોનો મારો શરૂ કરી દીધો.

`આવો કોઈ ધડાકો થવાનો છે`, તે આખીય બાબતથી, અજાણ મનોહરજી  શરૂઆતમાં તો,  એમ  જ સમજ્યા..!! કે,  તમામ ફીલ્મોની રીલીઝ સમયે, હિરો-હોરોઈનના, બનાવટી રોમાંસની વાત ચગાવીને, નવી ફીલ્મ હીટ કરવાનો, આ એક પ્રોપેગન્ડાકે, પબ્લિસિટી સ્ટંટ  છે..!!

પરંતુ, પાર્શ્વ સહિત, તમામ મહેમાનોની વિદાય  બાદ, તમન્નાએ, મનોહરજીને, આ  બાબતે અક્ષર અને પ્રથમા, લગ્ન બાબતે, સાચેજ ગંભીર હોવાની જાણ કરી ત્યારે મનોહરજી ચોંકી ગયા.

મનોહરજીને કારમો આઘાત લાગ્યો.

પ્રેમા શર્માથી જન્મેલી પોતાનીજ દીકરી પ્રથમા અને તમન્નાથી જન્મેલો, પોતાનોજ દીકરો અક્ષર, બંને ભાઈબહેનના સબંધ થતા હોઈ, તેમનાં લગ્ન કેવીરીતે શક્ય છે?

`આ બંને ભાઈ બહેન છે` તે રહસ્યની જાણ ભૂલથી પણ, જો મીડીયામાં લીક થઈ જાય તો, પોતાની કરોડોના ખર્ચે ઉતારેલી નવી ફીલ્મ ફ્લૉપ જાય અને પ્રથમા-અક્ષરની કેરિયર, ઉગતા પહેલાંજ મુરઝાઈ જાય..!!

જોકે, ત્યારબાદ મનોહરજીએ, અત્યંત ઝડપથી નિર્ણય લઈને, તમન્નાને કારમો આઘાત લાગશે તે જ્ઞાત હોવા છતાં, એકાંતમાં,  તમન્નાના  હાથમાં, પ્રેમાનો અંતિમ પત્ર મુકી દીધો અને તમન્નાનેજ સીધો સવાલ કર્યો, `હવે શું?`

અત્યંત સ્વસ્થતાથી, પત્ર વાંચીને, ફાડી નાખતાં, તમન્નાએ  શાંત સ્વરે મનોહરજીને જણાવ્યું,

" આ લગ્ન હજીપણ  શક્ય છે, કારણકે પ્રથમા-અક્ષર ભાઈ બહેન નથી. મારેય તને એક બાબતની જાણ કરવાની છે, આપણા ઘડિયાં પ્રેમલગ્ન સમયે હું અગાઉથીજ પ્રેગન્ટ હતી..!!  મનોહર, અક્ષર તારો દીકરો નથી, હું  જાણું છું અક્ષરના અસલી પિતાનું નામ જાણવાનો તું પ્રયત્ન નહીંજ કરે...!!"

આટલા વર્ષ, જેને પોતાનો દીકરો માનીને ઉછેર્યો, તે  પોતાનો દીકરો ન હોવાનો કારમો આઘાત તથા બેવફા  પત્ની  તમન્નાએ, આટલા વર્ષ સુધી, પોતાનાથી, આખી બાબત છુપાવી હોવાના દર્દથી, પીડાયેલા મનોહરજી, બાર કલાક પહેલાંના આનંદને વિસરીને, શરાબના શરણે પહોંચી ગયા.

મિત્રો, જોકે, ક્લાઈમેક્સ હજી બાકી છે..!! માણવો છે?

તો ચાલો..!!

બીજા દિવસની રાત્રીના ૧૦. કલાકે,મનોહરજીની ગેરહાજરીમાં, પાર્શ્વના ઘેર, પાર્શ્વ, તમન્ના  અને પ્રથમા, ભેગાં મળી, હાથમાં `અંગુરકી બેટી` સભર, જામ થી જામ ટકરાવીને, ચિયર્સ કરી રહ્યા હતા.

એક ખણખોદીયા પત્રકાર તરીકે, આ તમામ લોકોની, ઉલ્લાસભરી વાતચીતમાંથી, હું એટલીજ વિગત મેળવી શક્યો છું કે,  હકીકતમાં પ્રથમાને, પ્રેમા શર્મા સાથે, મા-દીકરીનો  કોઈજ સબંધ નથી. પ્રથમા, તમન્નાની ખાસ સહેલી તન્વીની દીકરી છે.

પ્રેમા શર્માએ, મનોહરજીને લખેલો, કહેવાતો, પેલો પત્ર પણ નકલી હતો. મનોહરજીને, પ્રથમા-પ્રેમા સાથેનું ફૉટૉ આલ્બમ પણ ટ્રીક  ફૉટોગ્રાફીની જ  કમાલ હતી.

મનોહરજી  સાથેના પરિચય અગાઉથીજ, તમન્ના અને પાર્શ્વ  એકમેકના, પ્રેમમાં હતાં, તેનાજ પરિણામ સ્વરૂપ, તમન્નાના ઉદરમાં `અક્ષર` આવી ચૂક્યો હતો.

પરંતુ પાર્શ્વ અગાઉથી પરિણીત હોવાથી તથા પાર્શ્વની ઉપપત્ની બનીને રહેવા તમન્ના તૈયાર ન હોવાથી, ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં, નવાસવા આવેલા સોહામણા, ટેલેન્ટેડ, મનોહરનો હાથ પકડવાનુ, તમન્નાને વધારે ઉચિત લાગ્યું. પાર્શ્વને પણ આ બાબત અનુકુળ લાગી..!!

આજે, આટલાં વર્ષ પછી, મનોહરજીના આંગણે, `કૉયલનું ઈંડું, કાગડાના માળામાં ઉછરીને, બચ્ચું બની જન્મ્યું હતું` ત્યારે, અક્ષરની અસલિયત, મનોહરજીને જણાવી, તમન્નાએ એક કાંકરે કેટલાંય પક્ષી માર્યાં હતાં.

મનોહરજીના મનમાં, તેમના અને પ્રેમાના સબંધને લઈને, ગુન્હાનો ભાવ જન્માવી, સામે પોતાના ગુન્હાને છાવર્યો હતો.

તમન્નાના, આગવા આધિપત્ય ધરાવતી, ફીલ્મ કંપનીના બેનર તળે, પોતાના આગવા દીકરા અક્ષરની, પ્રથમ ડેબ્યુ ફીલ્મ લોંન્ચ કરાવીને, તમન્ના અને પાર્શ્વએ, મનોહરજીનો ઉપયોગ કરી લીધો હતો...!!

તમન્નાની સહેલી તન્વી અને  પ્રથમાને, આટલું અમસ્તું અસત્ય બોલવા બદલ, આટલા મોટા  પ્રતિષ્ઠિત  બેનરની ફીલ્મ અને અક્ષર જેવો પતિ મળ્યો હતો.

 ==========

મિત્રો, આપ દલીલ કરશોકે,  આવું થોડૂજ  બને?  આ  શક્ય  નથી.

મારો જવાબ છે, ફીલ્મી દુનિયાની તકલાદી ચમકદમક, નીચે બધુંજ શક્ય છે..!!


============

પ્રિય મિત્રો,

આપણા, નેટજગતના,  માનવંતા અનેક વિદ્વાન  મિત્રોમાંથી, એક  મિત્ર, `Shri Ajitgita` એ, એક  રસપ્રદ  મેઈલ  મોકલ્યો  છે.

તેઓશ્રીના પ્રેમને  વશ  થઈ, તેમની  ઈચ્છાને, પૂર્ણ  કરવા, માઁ સરસ્વતીની વંદના કરી,  યથાશક્તિ પ્રયત્ન કરું છું.

કેટલી સફળતા મળી, જણાવશો?  

આભારી રહીશ, કારણકે, મારા તો પાઠકમિત્ર પણ આપ અને  વિવેચકમિત્ર  પણ, આપ જ  છો.

માર્કંડ દવે. તાઃ ૨૫ ઑગસ્ટ ૨૦૧૦.

============

Markand Sir,

Namaste from  YR  fan  ajitgita

U might have read this mail or story......,

But  just  to  creat  a  new  story  from  yr  aflatoon  creative  mind.(..!! ) - Ajitgita.

========

( A thrilling suspense story !!! )

Mom, Dad and Son (Hero)......

The Boy saw a girl and falls in love with her

 Luckily she comes to stay opposite his house !!!

 He proposes her

 Love goes smoothly

 One day Dad saw his son with that girl

Son is shocked !!!

.Interval.....

.Dad asked "Who is that girl ?

 Son : I love her Dad and I want to marry her

 Dad is shocked !!!

.Climax

.Dad : It’s impossible. You cannot marry her !!!

 Son : Why?

Dad :"Because she is your sister"

 Son is shocked !!!

.how will they marry?????????????

.And now, a twist in the story !!!

.Mom "Don’t worry son, I will arrange your marriage....You are not his son !

 Dad gets Shocked !!

=========

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.