Monday, June 21, 2010

સળીખોર-C.M.?

સળીખોર-C.M.?




પ્રિય મિત્રો,

મને એક મિત્રએ, તાજેતરમાં,પ્રશ્ન પૂછ્યો,"શું આપણા C.M. (કૉમન મેન?)  સળીખોર છે ?"


મને આવો સવાલ સાંભળીને, નવાઈ લાગીં મેં કહ્યું," કેમ, આમ કહે છે?"

મિત્રએ ખુલાસો કર્યો," આ જોને બિહારવાળી થઈ છે તે..!! છાપાં નથી વાંચતો?"

જોકે, અખબાર તો હું  વાંચું છું,પણ આપણને, રાજકારણમાં બહુ ગતાગમ પડતી ન હોવાથી, આપણે રોજના રાશી-ભવિષ્ય,અને અન્ય સ્થાનિક સમાચાર પર નજર ફેરવી કામે લાગતા હોઈએ છે.

પણ,જેમ સમૂદ્રકિનારે, જાંબુવંતે, પવનપૂત્ર હનુમાનને,તેમનામાં રહેલી અદભૂત શક્તિનું જ્ઞાન કરાવ્યું હતું અને તેઓ સમૂદ્ર લાંઘી ગયા,તેજ રીતે મારા આ મિત્રએ, મને આપણા ગુજરાતી કૉમન મેનના, સળીખોર સ્વભાવની અદભૂત શક્તિને, યાદ કરાવી

તે સાથેજ બે -ચાર દિવસનાં છાપાં ઉથલાવીને, બિહારમાં શું થયું તેનો મેં તાગ મેળવ્યો અને  ત્યારેજ મેં જાણ્યુંકે,મારો મિત્ર, C.M.  એટલે કૉમન મેન નહીં પણ આપણા મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીજી( ન.મો.)ની વાત કરી રહ્યો હતો.

મને થયું આમાં ન.મો.સળીખોર કેવીરીતે કહેવાય? બિહારના મૂખ્યમંત્રી શ્રીનીતીશકુમાર સાથે પડાવેલા, જૂના ફોટા કોઈએ છાપ્યા,તેમાં વળી કયું આભ ફાટી પડ્યું..!! આ ફોટા છાપનારા,બધા ફૉટા,સંબંધિત બધાને રોજ પૂછીને છાપે છે? ન.મો. રોજ આવું જોવા નવરા પણ થોડાજ હોય?

કેટલાક વાંકદેખા આ  બાબતે તેમના ઘરનું ડહાપણ ડહોળવા લાગ્યા, આ  જુઓ,તેઓ શું કહે છે તે..!!

*The friction between the two parties was triggered off by advertisements splashed in Patna newspapers showing BJP leader and Gujarat Chief Minister Narendra Modi holding hands with Nitish Kumar. Miffed at the ad, Bihar Chief Minister Nitish Kumar cancelled a dinner for BJP leaders on June 12. (Read: After ad row, Nitish cancels dinner for BJP leaders)

*Further, in a big snub, the Bihar government on June 19 returned the Rs 5 crore cheque given by Gujarat for Kosi flood relief. The money was returned after local papers carried advertisements of how the BJP helped out with flood relief in Bihar, which Nitish felt was politicising the matter. (Read: Angry Nitish returns Gujarat's Kosi aid)

*This triggered a retaliation by Bihar's Deputy Chief Minister and BJP leader Sushil Modi who refused to travel with Nitish Kumar to showcase the state's progress in the last five years as part of their pre-election campaign. (Read: Now, BJP's Sushil Modi snubs Nitish Kumar)

*However, the Nitish Kumar-BJP tit for tat didn't stop there. The Bihar Chief Minister later cancelled an evening rally, scheduled in a Patna constituency of a prominent BJP minister.

*Due to the ongoing spat between Nitish and Modi, the BJP-JD(U) alliance in Bihar is now teetering on the edge of collapse. And now, BJP chief Nitin Gadkari is expected to take a decision on the alliance ahead of the elections there. (Read: Serious problems in BJP-JD(U) alliance in Bihar, say sources)

*After having categorically stated that he would not share the stage with Gujarat Chief Minister Narendra Modi, Bihar Chief Minister and Janata Dal-United (JD-U) leader Nitish Kumar did exactly the opposite Sunday.
 
*Nitish Kumar had recently said he would not share the stage with Modi during election rallies. He had also opposed a move by a section of BJP leaders to propose Modi's name for prime ministership.
 
*All these year's I had respect for Bihar CM Nitish Kumar as i felt like NaMo( Narendra Modi) he is one leader in India to reckon with developmental politics . But with the latest stupid outburst of Nitish On BJP & Namo over a ' Hand-Shake' Advertisement released by few industrialist is bit comical in nature . Nitish by snubbing Narendra Modi has exposed his fragile Psuedo-Secular antics.


* Nation feels Nitish Kumar has thus over reacted and displayed his perverted Muslim vote bank politics . Tata's, Birla's,Ambani's have Invested millions of Dollars in NaMo's Gujarat , So will Nitish Kumar stop shaking Hands with them too ?? If 5 Crore Gujaratis are happy , all the Investors are happy with NaMo then I dont Understand what the problem is with this rustic Bihar Chief Minister . No matter what , Namo rocks as always.
 
આપણા ગુજરાત કૉન્ગ્રેસના અગ્રણી નેતા શ્રીઅહેમદ પટેલે ઘણીજ વ્યવહારૂ વાત કરી,"શ્રીનીતીશકુમારે, નાણાં પરત કરીને, ગુજરાત અને ગુજરાતી પ્રજાનું અપમાન કર્યું છે..!! આ રકમ ન.મો.ની એકલાની નહીં, ગુજરાતની પ્રજાની છે..!! ન.મો.ને આવી સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની આદત છે...!! વિગેરે, વિગેરે..

આપણી ગુજરાત સરકારના પ્રવક્તાના (શ્રીજયનારાયણભાઈના?) જણાવ્યા પ્રમાણે," ગુજરાતની પ્રજા હંમેશાં દેશમાં ક્યાંય પણ સંકટ આવે ત્યારે મદદ કરવા તૈયાર હોય છે. બે વર્ષ અગાઉ આ પ્રમાણેજ બિહારના આપણા ભાઈબહેનોને,સંકટના સમયે,તબીબી સહાય અને નાણાંકીય સહાય સહિત,  તમામ પ્રકારની સેવાઓ  ખભેખભા મિલાવીને, કોઈપણ આશા અપેક્ષા વગર, પહોંચાડી હતી.તેનું ગુજરાતની પ્રજાને ગૌરવ છે."

વળી ગુ.સ.ના પ્રવક્તાએ ઉમેર્યુંકે," બે વર્ષ દરમિયાન, વપરાયા વગર પડી રહેવાથી, પરત કરેલા, રૂપિયા પાંચ કરોડનું વ્યાજ, (વાર્ષિક ૯% લેખે, રૂપિયા ૯૦,૦૦૦૦૦/= ? નેવું લાખ, ભૂલચૂક લેવીદેવી..!!)  બિહારની પૂરપીડીત જનતાને ઉપયોગમાં આવ્યું તેનો અમને આનંદ છે."    

સા....લું...!!  આ બધું વાક્‍યુદ્ધ અને ધમાસાણ જોઈને, મને કેટલાક સવાલ મૂંઝવે છે, હવે તેના જવાબ, આપ જેવા વિદ્વાનોને ન પૂછું તો પછી કોને પૂછું?  આશા છે આ  સવાલના જવાબ, આપ જરૂરથી આપશો.

સ.૧ 

બિહારના અખબારમાં, છપાયેલી જાહેરાતમાં ન.મો.નો હાથ, નિતીશકુમારના હાથ કરતાં ઉંચો છે તેથી ન.મો. ધોબી પછાડ આપતા હોય તેવો,મારી જેમ આપને પણ તે ફોટો જોઈને ભાસ થાય છે?

સ.૨.

ન.મો.  C.M.  બન્યા ત્યારથી આ પાંચ કરોડનો આંકડો, આદુ ખાઈને તેમની પાછળ કેમ પડ્યો છે?
શરૂઆતમાં, સભાઓમાં તેઓ,`મારા ગુજરાતની પાંચ કરોડ જનતા....!!` તેમ બંને હાથ ઉંચા કરીને, લલકારતા ત્યારેય, વાંકદેખા લોકો, ટીકા સાથે, મૂછમાં હસતા હતા..!! નફ્ફટ કહીંના..!!

સ.૩

નીતીશકુમારના આવા બાલીશ વર્તાવ પછી, ન.મો.એ બિહારના રોડરસ્તા અને વિકાસનો શ્રેય, ત્યાંના ભા.જ.પા.ના મોટા ગજાના નેતા, શ્રીસુશીલ મોદીને આપ્યો, તેને નીતીશકુમારને સળી કરી કહેવાય કે, મોદી-મોદી ભાઈ-ભાઈ કર્યું કહેવાય?

સ.૪

જેંડીયું નેતાઓને, સહયોગી દળ તરીકે, ભા.જ.પા. ચાલે પણ, ન.મો. ના ચાલે ? (કેમ ભાઈ, કોને ખુશ કરવા છે?)

સ.૫.

ગુ.સ.ના પ્રવક્તાએ," રૂપિયા પાંચ કરોડ,બે વર્ષ પછી પરત કર્યા,તેના વ્યાજની રકમનો ઉલ્લેખ કરીને, કોથળામાં પાંચશેરી મારવાની, નવી સળી તો નથી કરીને? (હા, ગુજરાતી કૉમનમેન તો, રૂપિયાનું વ્યાજ પણ ગણેજને...!! હી..હી...હી..!!)

સ.૬.

આ ઘટના બન્યા બાદ,ત્યાંની જાહેરસભામાં,ન.મો.એ વળી, `અનેક બિહારી લોકો ગુજરાતમાં આવીને અન્ય ગુજરાતી પ્રજાની માફક સુખી થયા` નો ઉલ્લેખ કર્યો, તેને નીતીશકુમાર ઈજ્જતનો પ્રશ્ન બનાવીને, આ  બધા બિહારીઓને,  બિહારમાં પરત બોલાવી લેશે તો...ઓ... ઓ...!! શું થશે?

સ.૭

બિહારને સહાય કરતી વખતે આપવામાં આવેલા પાંચ કરોડ રૂપિયામાં ,ગુજરાતમાંજ વસવાટ કરીને, નખશીખ ગુજરાતી બની ગયેલા બિહારી લોકોએ કોઈ ફાળોજ નહીં આપ્યો હોય? તેમનું શું કહેવું છે?

સ.૮ 

ગુજરાતમાં વસતા, બિહારીઓએ આપેલા ફાળાની રકમની વિગતો અલગ માંગીને,તેટલી રકમ નીતીશકુમારે રાખી લેવી જોઈતી હતી?

સ.૯

આમ નથી કર્યું તેથી, ગુજરાતની પ્રજાની સાથે,ગુજરાતમાં વસતી, બિહારી પ્રજાનું પણ અપમાન થયું છે તેવું શ્રી અહેમદ પટેલ માનતા હશે?

સ.૧૦

ન.મો. મૂખ્યમંત્રી રહે ત્યાં સુધી, ગુ.સ. હવે પછી, અન્ય  કોઈ પણ રાજ્યને, દુઃખમાં સહાય કરતી વખતે, કેટલા સમયમાં તે રકમ પરત કરશે? તે ખાત્રી કરવાનું વિચારતી હશે?  

યાર....સવાલો....સવાલો....સવાલો....!! મને તો આવા સવાલોનો કોઈ અંત દેખાતો નથી.આપ પણ કંટાળ્યા હશો. પણ એક ગણતરીબાજ, વિચારશીલ  તરીકે મને ફક્ત એક સવાલનો જવાબ આપશો તો,આપની મોટી મહેરબાની...!!

કે, મારા મિત્રએ જણાવ્યા મૂજબ, આપણા ગુજરાતી C.M કૉમનમેન શું ખરેખર સળીખોર છે? જવાબ જરૂર આપજો.

આ સાથે મને એક સરખામણી કરવાનું મન થાય છે.

લાફ્ટર ચેલેન્જમાં, રાજુ શ્રીવાસ્તવે એક  કલ્પના કરી હતીકે,

એક લત્તાના, કેટલાક ડૉન- ભાઈલોગ ધંધો બદલવાનું વિચારીને, કોઈ હૉલમાં `સત્સંગ -પ્રવચન -આરતી` નો કાર્યક્રમ ગોઠવીને, ધંધો બદલવાની કોશીશ કરે છે.

પુરતું  કેટલાક વાંકદેખા શ્રોતાઓ, પ્રવચનની ભૂલોને સુધારીને,ડૉનના પ્રવચનને અધવચ્ચે અટકાવે છે.ત્યારે ડૉન તેને કહે છે,

" સીતા કો રાવણ કી જગહ કંસ લે જાયેગા તો તેરે બાપ કા ક્યા જાયેંગા..!! કોઈ પ્યારસે ધંધા બદલ રયેલા હૈ તો બીચમેં ઉંગલી કરના જરૂરી હૈ ક્યા? એ ગફૂર, લે જા ઈસકો કોપ્ચેમેં  ઔર પહીના ઉસકો દો ચાર..!!"

રાહુલ ગાંધી, નીતીશકુમારની બિહાર સરકારના વિકાસ કાર્યોનાં વખાણ કરીને, U.P.A.માં તેમને ખેંચી લાવી,N.D.A થી ધંધો બદલવા લલચાવે છે.

ન.મો. હિંદુ કોમવાદીનો ચહેરો  બદલવા, વિકાસના માર્ગે, ઝનૂનપૂર્વક, મંડ્યા રહીને ( C.M. to P.M.) પ્રયત્નશીલ છે.તેમ વાંકદેખાઓ કહે છે..!!

રાજુ શ્રીવાસ્તવની ડૉન-કથા, આ બંનેમાંથી, કોને લાગુ પાડવી? તે નિર્ણય આપ સહુના પર છોડું છું.

પણ મને તો, ખરેખર એક કૉમનમેન તરીકે, આ ગંદા રાજકારણમાં, જે કાંઈ થઈ રહ્યું છે, તે જરાય ગમતું નથી એટલું ચોક્કસ છે.

ગુજરાત સહિત, દેશના બાકીના રાજ્યોના રાજકારણીઓ,
ગુજરાત અને ગુજરાતીઓનો સતત ઉપહાસ કરતા કેટલાક મિડીયાકર્મીઓ,
 કેટલાક  વિદ્વાન લેખકો પત્રકાર મિત્રો.

એટલું સમજી લેજોકે, ખરેખર ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને,  ગુજરાતની આબરૂ-અસ્મિતા સાથે કોઈ બાલીશવેડા કરીને, દિલ દુઃભાવે તે,  સહેજપણ ગમતું નથી.(જેમાં તમામ ધર્મ,જ્ઞાતી-જાતી અને રાજ્યોના લોકોનો સમાવેશ થાય છેતે, તમામ)

ન.મો.ની ખબર નહીં, પણ અમો  સળીખોર નથી, પણ એ જ્યારે ખરેખર, સળીખોર બને ત્યારે પૂજ્ય ગાંધીબાપુ જેવો એકજ સળીખોર, આખી સલ્તનતને ભારે પડે તેવું ખમીર ધરાવે છે.

ગુજરાત અને ગુજરાતીઓ વિરોધીઓ, સાનમાં તમે સહુ કોઈ સમજી જાવ તો સારી વાત છે...!! 

બાય ધ વૅ, બૉસ, એક ગુજરાતી તરીકે આપ શું માનો છો?


માર્કંડ દવે. તાઃ-૨૧-જૂન-૨૦૧૦.

5 comments:

  1. પટણામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી વખતે આ જાહેરખબરોનો ભવાડો થયો ને નીતિશે ભાજપનંુ નાક વાઢી લીધું ત્યારે ભાજપના નેતાઓએ ફિશિયારી મારતાં જાહેર કરેલું કે ભાજપ પોતાના આત્મગૌરવ અને આત્મસન્માનના મુદ્દે કોઈ સમાધાન નહીં કરે. હવે નીતિશકુમારે જાહેરમાં ભાજપની આબરૃના ધજાગરા ઉડાવી દીધા અને ભાજપને બે કોડીનો કરી દીધો ત્યારે ભાજપનું એ આત્મસન્માન ક્યાં ગયું ? રાજકારણમાં ગમ ખાઈને રહેવું પડતંુ હોય છે ને સમાધાનો કરવાં પડતાં હોય છે પણ આ રીતે કોઈ તમને લાત મારીને ભગાડી મૂકે અને એ પછીય તમે ચૂપ રહો એ હદનું વર્તન એ સમાધાન ના કહેવાય પણ નપુંસકતા કહેવાય.

    આ ઘટનાક્રમ પછી ગુજરાતની પ્રજાએ પણ એક બાબત અંગે વિચારવંુ જોઈએ. દેશનાં બીજાં બધાં રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓ ભાજપના પડખે અડીખમ બનીને ઊભા રહ્યા છે અને તેનો બદલો તેમને કઈ રીતે મળી રહ્યો છે ? પોતાને બિનસાંપ્રદાયિક નેતાઓમાં ખપાવવા માટે સતત ફાંફાં મારતા નીતિશકુમાર જેવા નેતાઓ ગુજરાતની પ્રજાનું આ રીતે અપમાન કરે અને ભાજપના નેતાઓ તમાશો જોયા કરે તેને માટે ગુજરાતની પ્રજા ભાજપને મત આપે છે ને ભાજપની સરકારને ચૂંટે છે ? નીતિશની આ ચેષ્ટા સામે ભાજપનો કોઈ નેતા ચૂં ક ચાં કરતો નથી કે ગુજરાતીઓના તેમણે કરેલા અપમાન સામે બોલતો નથી તે જ શું બતાવે છે ? અને આ બધું જોયા પછી ગુજરાતની પ્રજાએ ભાજપના નેતાઓને પણ એક સવાલ પૂછવો જોઈએ કે તેમના માટે ગુજરાતની સાડા પાંચ કરોડની પ્રજાનું ગૌરવ મહત્ત્વનું છે કે મુસ્લિમ મતો માટે તેમના પગોમાં આળોટતા અને ગુજરાતનું અપમાન કરી તેને તમાચો મારતા નીતિશકુમાર જેવા નેતાઓની દોસ્તી ? અત્યારે તો એવું લાગે છે કે ભાજપ માટે નીતિશની દોસ્તી જ વધારે મહત્ત્વની છે કેમ કે તેમની દોસ્તીને કારણે સત્તા મળવાની છે. ગુજરાતની પ્રજાનું ગૌરવ તો ગધેડે ગવાય છે, તેની કિંમત શું ? કંઈ જ નહીં. ભાજપના નેતાઓ એવું માનતા લાગે છે અને એટલા માટે જ ચૂપ છે. બાકી નીતિશ સામે હરફ પણ નહીં ઉચ્ચારવા માટે બીજું ક્યું કારણ હોઈ શકે ?


    Is Narendra Modi a liability for GUJARATI outside Gujarat?

    TALKING POINTS

    APRIL 27

    At the launch of his book compiling his speeches on B R Ambedkar, Modi said the dalit icon had converted to Buddhism as the religion was native to India rather than Islam and Christianity which were not. "He converted to a religion, Buddhism, which was originated in Hindustan like Hinduism, " he said

    JUNE 9

    Advertisements in Bihar dailies proclaiming progress in integrating minorities in the mainstream in Gujarat showed photos of Muslim girls from Azamgarh. The photograph was misleading as the girls were from UP

    ReplyDelete
  2. I forgot to mention.... above texts are from www.sandesh.com and www.timesofindia.com

    My Apology.

    Regards,

    Raj Macwan

    ReplyDelete
  3. અરે ભાઇ, હવે તો છાપા વાળા અને ટીવી વાળા ય ફૂગ્ગો ફૂલે એના કરતાં વધારે ફૂલાવે અને પછી સારામાંયની ટાંકણી વેચવા કાઢે ... જેને ફોડવો હોય તે ભાવ બોલે ..કોલમ સે.મી પ્રમાણે ૧૬ કે ૩૨ પાના જ ભરવાના ને ? કે ૧૦ – ૨૦ સેકન્ડના ગરમા ગરમ સ્લોટ પર ભાત કોણ બનાવે, બધાને બીરીયાની જ જોઇએ છે ને ? હવે જે વાંચ્યું કે જે વાંચવા મળ્યું તે તો લખનારની કલમે કોની ચા પીધી તે પર આધાર નહિ ? સંવાદને વિવાદમાં ફેરવી નાખીને ભારતની પ્રજાને ગુમરાહ કરવામાં કયાં હવે જરાય વાર લાગે છે ? અપાય એટલું આપીને ભૂલી જવાની આદત વાળા ગુજરાતીઓ તો .. મૂકોને પંચાત વાળા અભિગમથી પોતાની મસ્તીમાં પાંચના સાડા પાંચ કરોડ થયા કે છ નો હિસાબ ક્યાં લગાવે છે ? અને રહી વાત ‘સળી’ની .... સાલ્લું રાજનીતીમાં સળી તો બહુ નાની પડે હવે ... સળીયાખોર લોકોનો જમાનો છે.અને હવે એમ ના પૂછતા કે સળીયો કોણ અને ક્યાં નાંખે છે ? બાપડી પ્રજા જીવે છે એ જ મોટી વાત છે.

    ReplyDelete
  4. Fw: સળીખોર-C.M.? Bhagvan Jane....
    સળીખોર-C.M.? Bhagvan Jane....
    Tuesday, June 22, 2010 5:04:40 PM
    From:
    "Amrish Vaidya"
    To:
    ""
    Shri Markand Bhai

    Tamaro lekh read out kryo. ekandare good chhe.

    Shri Narendra Modi e Bihar ne koshi pur ma help kari ne koi top noti fodi.

    Bhukamp vakhate Bihar Sarkare ( Lallu Yadave C/O Rabdi devi ) e madad mokli hati to Bihar na C.M. e JASH lidho noto.

    Madad hamesha muddhi vali ne thay chhe nahi ke muddhi kholi ne.

    Mari jem tame pan GUJARATI chho. Bihar ane UP na Bhaiya ane KADVA Gujarat ma avi ne GUJARATI o ni roji chhinve chhe te Common Man ne nahi khabar hoy ?

    Aam to Gujarati o pan USA jai ne set thaya chhe pan Bihari and UP na jeva durty nathi ke khay tya thukta nathi.

    Common Man ne Bihari o ke jeo Gujarat ma vasela chhe ( khas kari ne Amdavad ane surat ma temna VOTE ni chhinta Vadhare chhe. Ane a hakikat chhe.)

    Tamari ichha na hoy to tamara phota no sadupyog pan kayda mujab nathi kari shakato te tamne yad hase.

    Nitish Kumar , Navin Patnayak ane Narendra Modi tney ek j rashi na chhe pan 3 jan ni life style ma lot of change chhe.

    Nitish Kumar ane Navin Patnayak ochhi security sathe Bucycle par fare chhe Reban na sun glass nathi paherta ane koi bole to tene bolava na devani ichha pan nathi rakhta Nitish kumar ane Navin Patnayak badha ne bolva no chance ape chhe.

    Orrissa ma vagar vibrante good investment ave chhe . Google ma search karjo. ane have Bihar ma pan.

    Ane hu koi politician nathi ke Congress valo pan nathi pan ketkik vat samjva jevi hoy chhe.
    hu em pan nathi kehto ke cogress na karane desh no vishas thayo ulta nu congress se desh ne nirakshar rakhi ne pacchat rakhyo chhe. Je vikas thayo chhe e praja jore ane takat thi thayo chhe.

    Kadach mari vat tamne na pan game Common Man na agaist ma lakhi chhe etle pan tame opinion magyo etle ek GUJARATI tarike apyo.

    Tamaro reply male to mane gamse.

    Pranam.

    Amrish

    ReplyDelete
  5. REPLY


    RESP. SHRI AMRISHBHAI,

    આપના પ્રતિભાવ બદલ આનંદ વ્યક્ત કરૂં છું.

    ઈશ્વર કૃપાથી, હંમેશાં કોઈ લેખ આપોઆપ લખાય ત્યારે તેમાં કોઈ પ્રયત્ન વગર શબ્દની સરવાણી વહે છે.આપની સરવાણી આપોઆપ વહેતી અનુભવીને મનને ઘણુંજ સારૂં લાગ્યું.

    હું પણ એક કૉમન મેન અને ગુજરાતી તરીકે, રાજકારણના કિચડને ધિક્કારું છું, અને કમસે કમ આપણા ગુજરાતના જવાબદાર નેતાઓ,ચાહે કોઈ પણ પક્ષના હોય તેઓ ગુજરાતના સંસ્કાર અને ગુજરાતીપણાના ગૌરવને, બટ્ટો લગાડે તેવી પ્રવૃત્તિ ના કરે તેવી આશા રાખીએ તે સાવ વ્યર્થ નથી. ન.મો.એ પણ સમજવાની જરૂર છેકે, સફળતાને સર પર ચઢાવવા જેવી નથી. તેમનો પ્રામાણિકતા, પ્રજા ઉપયોગી કાર્ય કરવાનું ઝનુન,કેટલીક તોછડાઈ ભરેલી વર્તણૂંક પાસે ઝાંખા પડી જાય તે તેઓ ક્યારે સમજશે.

    બાકી તો, અત્યારે ગુઅજરાતના લોકોની મહેનતને કારણે, સમૃદ્ધ થયેલા ગુજરાત અને ગુજરાતના વિકાસની ઈર્ષા કરનારાને એક પણ તક આપવા જેવી નથી.

    ભગવાન બધુંજ જુવે છે. ન.મો. અને નીતીશ પ્રકરણ ગુજરાતના ઈતિહાસ માટે કલંક સમાન ગણાશે. કારણકે બંને પક્ષે બાલીશતા આચરાઈ છે તે એક હકિકત છે.
    માર્કંડ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.