ગઝલ રસાસ્વાદ શ્રેણી-૧૨
ફીલ્મ- તાજમહાલ (૧૯૬૩)
=======
પ્રિય મિત્રો,
આજે આપણે સન-૧૯૬૩માં રીલીઝ થયેલી, સુંદર હીન્દી ફીલ્મ-` તાજ મહાલ`ની, કોકિલકંઠી ગાયિકા સુશ્રીલતાજીના કંઠે ગવાયેલી, અદભૂત ગઝલ -
`ज़ुर्मे-उल्फ़त पे हमें लोग सज़ा देते हैं। कैसे नादान हैं, शोलों को हवा देते हैं॥` નો રસાસ્વાદ માણીશું.
સન- ૧૯૬૩માં રીલીઝ થયેલી નિર્માતા- એ.કે. નડિયાદવાલા અને નિર્દેશક-શ્રીમહંમદ સાદિક઼ ની ફીલ્મ-`તાજમહાલ`ના,જેના કથા-પટકથા-ક઼્મર જલાલાબાદી, સંવાદ-શ્રીતાબીશ સુલતાનપુરી,ગીતકાર-સાહિર લુધીયાનવી,સંગીતકાર-રોશન,સિનેમેટોગ્રાફર- જી.બાલાક્રિશ્નન છે.
આ ફીલ્મના કલાકાર-શ્રીપ્રદિપકુમાર-શાહજહાઁ, બીનારાય - અંજુમનબાનુ ઉર્ફે મલ્લિકા-એ આલમ- મુમતાઝ, તરીકે તથા તે ઉપરાંત, રહેમાન(જહાંગીર), વીણા (નૂરજહાઁ), જીવન,મોહનચોટી, મુરાદ,હેલન, મધુમતી, સુજાતાએ, અભિનયના અજવાળાં પાથર્યાં છે.
આ ફીલ્મમાં, શ્રીમહંમદરફીજી, સુશ્રીલતાજી,શ્રીમન્નાડૅ,સુશ્રીઆશાભોસલે,શ્રીસુમનકલ્યાનપુર,જેવા સમર્થ ગાયક-ગાયિકાઓએ, કંઠનાં કામણ પાથર્યાં છે.
આ ફીલ્મના ગીત," જો વાદા કિયા વો નિભાના પડેગા"ને, ૧૯૬૪માં, સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકે, શ્રીસાહિર લુધીયાનવીજીને તથા સર્વશ્રેષ્ઠ સંગીતકાર તરીકે,શ્રી રોશનજીને, ફીલ્મફૅઅર એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આજ ગીત માટે સુશ્રીલતાજી `સર્વશ્રેષ્ઠ ગાયિકા એવૉર્ડ`, માટે નોમીનેટ પણ થયાં હતાં..
આ ફીલ્મના નિર્દેશક શ્રીમહંમદ સાદિક઼ વિષે જાણવા જેવું-
*નામઃ શ્રીમહંમદ સાદિક઼ (M. Sadiq)
*જન્મદિનઃ ૧૦ માર્ચ-૧૯૧૦.
*જન્મસ્થળ- લાહોર, પંજાબ, અખંડ ભારત (હવે-પાકિસ્તાન)
*મૃત્યુતિથિ- ૩ - ઑક્ટોબર ૧૯૭૧. (પાકિસ્તાન)
*વ્યવસાય- ફીલ્મ નિર્માતા,નિર્દેશક, લેખક., કુલ ૨૮ ફીલ્મનું નિર્દેશન, કુલ -૫ ફીલ્મની કથા-પટકથા લેખન, કુલ-૧ ફીલ્મ,`બહારોં ફુલ બરસાઓં` ના નિર્માતા.
* ઉલ્લેખનીય ફીલ્મો- નમસ્તે (૧૯૪૩), રતન (૧૯૪૪), જીવન (૧૯૪૪), શામ સવેરા (૧૯૪૬), સાથી (૧૯૪૬), ડાકબંગલા (૧૯૪૭), ચારદિન( ૧૯૪૯), સબક (૧૯૫૦), પરદેશ (૧૯૫૦), અનમોલ રતન (૧૯૫૦), સૈંયા (૧૯૫૧), ખજ઼ાના (૧૯૫૧,), પૂનમ (૧૯૫૨), શબ઼ાબ (૧૯૫૪), મુસાફિરખ઼ાના (૧૯૫૫), છૂમંતર (૧૯૫૬), જવાનીકી હવા (૧૯૫૯), ચૌધવીઁ કા ચાઁદ (૧૯૬૦) ,તાજમહાલ (૧૯૬૩), નૂરજહાઁ (૧૯૬૭), બહુબેગ઼મ (૧૯૬૭) , બહારોં ફુલ બરસાઓં (૧૯૭૨).
* સન- ૧૯૬૦ની, નિર્દેશક શ્રીમહંમદ સાદિક઼ની, બ્લૉકબસ્ટર હીટફીલ્મ-`ચૌધવીઁ કા ચાઁદ`ને, Moscow International Film Festival- Year-1961 માં, ગ્રાન્ડ પિક્સ માટે, નોમીનેટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું,જેને,તેઓની ઘણી મોટી ઉપલબ્ધી ગણી શકાય.
નોંધ- મૉસ્કૉ-રશિયા ખાતે, સન- ૧૯૫૯માં, `Moscow International Film Festival - MIFF`, કૅથોલિક ધર્મગુરૂ `Saint George` (ca. 275/281 – 23 April 303,Saint George slaying the dragon) ની સ્મૃતિમાં શરૂ થયો હતો.જેમાં ફીલ્મોનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર તેઓના નામનો અપાય છે.
============
ગઝલ રસાસ્વાદ
============
`ज़ुर्मे-उल्फ़त पे हमें लोग सज़ा देते हैं। कैसे नादान हैं, शोलों को हवा देते हैं॥`
No comments:
Post a Comment