Wednesday, January 8, 2014

The Truth about Politics.- રાજનીતિનાં સત્ય વચન.


રાજનીતિનાં સત્ય વચન.

૧.રાજનીતિ એક અદ્ભુત કળા છે જેમાં, ગરીબના વોટ અને અમીરની નોટ મેળવી, બંને પક્ષોને એકબીજાથી રક્ષણ આપવાનું વચન અપાય છે. -ઑસ્કાર એમ રિંગર.

૨. રાજનીતિમાં વિરોધી સાથે તાલમેલ કરવામાં આવે છેકે," તું મારા માટે જુઠ્ઠું નહીં બોલે અને હું તારા માટે સાચું નહીં બોલું..!" - અડલાઈ સ્ટિવનસન.

૩. સાચો રાજનીતિજ્ઞ એજ છે જે, પોતાના હિત કાજે, તમારા જીવનનો ભોગ લે છે.- ટેક્સાસ ગુનન.

૪. હું એવા તારણ પર આવ્યો છુંકે, રાજનીતિ ખૂબ ગંભીર બાબત છે જે રાજકારણી માટે અનામત રાખવી જોઈએ. -ચાર્લ્સ દ ગોલે

૫. દેશની ચાવી રાજનીતિજ્ઞને સોંપવાને બદલે તાળું બદલી નાખવું વધારે ડહાપણભર્યું છે.- ડો લાર્સન.

૬. આપણે નાના ચોરને ફાંસી આપીએ છે અને મોટા ચોરને દેશની કચેરી..!- એસોપની ( ગ્રીક ગુલામ)

૭. કાયમ મંદબુદ્ધિ વ્યક્તિ દ્વારા, સજાના એક ભાગ રૂપે, રાજનીતિ કરી શકે તેવા હોશિયાર વ્યક્તિઓને સત્તા સોંપવામાં આવે છે.- પ્લેટો.

૮. રાજકારણીઓ બધે સરખા હોય છે, તેઓ ત્યાં બ્રિજ બાંધવાનું વચન આપે છે જ્યાં નદીનું નામનિશાન હોતું નથી..! -નિકીતા ખ્રુશ્ચેવ.

૯. હું જ્યારે નાનો હતો ત્યારે મને કહેવામાં આવતું કે, કોઈપણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે, હવે હું તે બાબત સાચી માનવા લાગ્યો છું. - ઇરવિંગ સ્ટોન.

૧૦.  રાજકારણી એવા લોકો હોય છે જે, અંધારમાં પણ આશાનું કિરણ શોધીને, તરત નવા અંધારાં ખરીદવા દોડી જાય છે. -   જ્હોન ક્વિન્ટન.

૧૧. કોઈ રાજનીતિજ્ઞ નદીમાં તણાઈ જાય તે પૉલ્યુશન છે, પરંતુ તમામ રાજનીતિજ્ઞ નદીમાં તણાઈ જાય તે સૉલ્યુશન છે. - અજ્ઞાત.

૧૨. રાજનીતિનું સૌથી , મોટું સત્ય એછેકે, રાજનીતિમાં સત્યનું નામોનિશાન નથી.- અજ્ઞાત
====

Any Comment?

માર્કંડ દવે. તા.૦૮-૦૧-૨૦૧૪.



No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.